-: સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ :-
મંડળની સ્થાપના, બંધારણ અને હેતુઓ...
૧)મંડળની સ્થાપના :- તા. ૨૦-૧-૧૯૭૭ ના રોજ "પ્રજાપતિ યુવક મંડળ" ના નામથી સંસ્થાની સ્થાપના કરવામાં આવી. હાલ સંસ્થાનું નામ "સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ" રાખવામાં આવ્યું છે.
૨) મંડળના ઉદ્દેશો :-
(૧) ગુજરાત રાજ્યમાં વસતા પ્રજાપતિ તેમજ અન્ય જ્ઞાતીઓની શૈક્ષણિક, સાંસ્ક્રુતિક, નૈતિક, સામાજિક, ઔઘ્યોગિક તેમજ આરોગ્ય વિષયક ઉન્નતિ સાધવાની દ્રષ્ટિથી કેળવણી વિષયક તેમજ સામાજિક પ્રવ્રુત્તિઓ ઉપાડવી અને સહકારની ભાવના કેળવી સંગઠીત કરવી.
(૨) કાર્યપ્રદેશ અને તેની સાથે હિત સંબંધ ધરાવતા તમામ પ્રજાપતિઓના પેટા ભેદો મિટાવવા, ભાત્રુભાવ વધારવો, સમાનતાના ધોરણે સબળ સંગઠન કરવું.
(૩) મંડળનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય રહેશે.
૩) બંધારણ તથા રજિસ્ટ્રેશન :- મંડળનું રજિસ્ટ્રેશન ચેરિટી કમિશ્નરશ્રી, અમદાવાદમાં બંધારણ સાથે તા. ૨૮-૨-૭૭ નાં રોજ રજિ. નં. એ।૨૫૦૯ (૧૯૭૭) અમદાવાદ કરવામાં આવ્યું. ત્યારબાદ ૧૮-૨-૭૯ થી સુધારેલું બંધારણ અમલમાં આવ્યું. છેલ્લે સ્કીમ અરજી નંબર ૪૭।૨૦૧૦ થી નવું સધારેલું બંધારણ ચેરીટી કમિશનરશ્રી, અમદાવાદમાં રજૂ કરેલું જે તા. ૧૬-૫-૨૦૧૨ ના રોજ મંજૂર કરવામાં આવ્યું. જે હાલ અમલમાં છે.
૪) સંસ્થાના સામાન્ય બંધારણીય નિયમો :- પ્રજાપતિ પુખ્ત ઉંમરની કોઈપણ વ્યક્તિ આ બંધારણ તથા નિયમોને માન્ય રાખનાર મંડળની સભાસદ થઈ શકશે. -આજીવન સભ્યફી તા. ૧-૯-૨૦૧૪ થી રૂ. ૧૦૦૦।- કરવામાં આવી છે. - વાર્ષિક સભ્ય ફી રૂ. ૧૫૧ - વાર્ષિક સભ્યએ છેલ્લા બે વર્ષથી વાર્ષિક ફી ભરી હોય તો જ મત આપવાનો અધિકાર રહેશે, તે પહેલા કોઈપણ પ્રકારનો હોદ્દો ધારણ કરી શકશે નહિ.
મંડળની ઓફિસ :-મંડળની સ્થાપના બાદ તેનું કાર્યાલય એડવોકેટ શ્રી રમણલાલ આર. પ્રજાપતિની ઓફિસેથી ચાલતું હતું. તા. ૨૦-૧-૧૯૮૦ ના રોજ મંડળની પોતાની ઓફિસનું શહેરની મધ્યમાં ૩।૨૩, ઈલોરા કોમર્શિયલ સેન્ટર, ત્રીજે માળ, રિલિફ સિનેમા પાછળ, રિલિફ રોડ, અમદાવાદ નું ઉદ્દઘાટન શ્રી નાનુભાઇ સી. દલવાડીના હસ્તે કરવામાં આવ્યું.ત્યારબાદ આ ઓફિસને બદલી નવી ઓફિસ ૫૦૨, સમૃદ્ધિ બિલ્ડીંગ, સત્તર તાલુકા સોસાયટીમાં તા. ૨૦-૧૦-૧૯૮૮ ના રોજ ખરીદ કરી જેનું નામકરણ સુરજબા ભવન શ્રી રામભાઈ પુંજાભાઈ ઓઝાના માતૃશ્રીના નામે કરવામાં આવ્યું.ત્યારબાદ વિશાળ જગ્યાવાળી મંડળની બીજી નવી ઓફિસ સંસ્થાએ ખરીદ કરી. જે ૧૦૩, લાભ કોમ્પલેક્ષ, સત્તર તાલુકા સોસાયટી, જૂની હાઈકોર્ટ સામે, નવરંગપુરા, અમદાવાદ-૧૪. ટે. નં. ૨૭૫૪૫૦૫૦ હેલ્પલાઈન (મો) ૮૧૪૧૭૦૨૦૨૦. જેનું ઉદ્દઘાટન તારીખ ૩૦-૬-૨૦૦૨ ના રોજ શેઠ શ્રી રમણલાલ શિવરામભાઈ પ્રજાપતિએ કરેલું.